વાઘબારસ નામ કેવી રીતે પડ્યું ?/ Vaghbaras Nam kevi rite padyu ?

 વાઘબારસ નામ કેવી રીતે પડ્યું ?/ Vaghbaras Nam kevi rite padyu ?

ભગવદ્ગોમંડલ માં શું કહ્યું છે વાઘબારસ વિશે ?

વાઘબારસમાં કોની પૂજા કરવામાં આવે છે ? અને શાં માટે ?

વાંચો વાઘબારસ સાથે સંકળાયેલા તથ્યો.


દીપાવલી પર્વ નો આરંભ થઈ ગયો છે. વાઘબારસ થી પર્વ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જાણો વાઘબારસ સાથે જોડાયેલા તથ્યો.

વાઘબારસ કહેવાનું કારણ શું ?

ભગવદ્ગોમંડલ માં વાઘ બારસ નો અર્થ બતાવ્યો છે "વાઘ માંડવા" એટલે કે "દેવું પતાવવું".


આમ, વાઘબારસના દિવસે જેટલું પણ દેવું ગયાં વરસનું બાકી હોય, જેટલું પણ વધ-ઘટ હોય, આગલાં વરસનો જેટલો પણ હિસાબ હોય તે બધો પતાવવાનો સારામાં સારો દિવસ એટલે આસો વદ બારસ એટલે કે વાઘબારસ .


અને એ દિવસે બધો  લેવાં દેવાં પૂરો કરી દેવાનો અને નવા વર્ષે નવા ચોપડામાં શુભ

 મુહુર્તમાં નવો હિસાબ શરૂ કરવાનો.


બીજી પૌરાણિક કથા મુજબ, "વાક" નો અર્થ થાય "વાણી".

અને વાણી ના દેવી એટલે માં સરસ્વતી. આમ સમય જતાં "વાક" નું  "વાણી" થયું અને માં સરસ્વતીનું પૂજન કરવાનું હિન્દુ ધર્મમાં કહેવામાં આવ્યું છે.

માં સરસ્વતીની પૂજા કરીને માં ને  રાખીને બોલવાનું, વાણીમાં વિવેક રાખવાની વાત કહેવામાં આવી છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

નટરાજ મૂર્તિ ની વિશેષતાઓ/Natraj Murti ni Visheshataao

સાદ પાડીને આવ્યો (ગુજરાતી કવિતા)/gujarati poem on Rain